. લોકસભા ચૂંટણીમાં બીજેપીએ ઐતિહાસિક જીત મેળવી છે અને પોતાના દમ પર લોકસભામાં બહુમત મેળવ્યો છે. એનડીએને શાનદાર જીત અપાવ્યા પછી આજે નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હી બીજેપીએ તેમના જોરદાર સ્વાગતની તૈયારી કરી છે. નક્કી કાર્યક્રમ મુજબ મોદી જ્યારે એયરપોર્ટ પહોંચશે તો પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં સમર્થક તેમનુ સ્વાગત કરશે.
દેશના ભાવિ પ્રધાનમંત્રીના આગમનને લઈને આખા શહેરમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને કાશી વિશ્વનાથ મંદિર અને દશાશ્વમેઘ ઘાટ પર સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય પોલીસની સાથે સાથે લોકલ અને ઈંટેલિજેંસ અને ગુજરાત પોલીસના અધિકારી સતત આ સ્થાનો પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી રહ્યા છે.