એક વાર એક કંજૂસ મર્યા પછી સ્વર્ગના દ્વાર ખટખટાવવા લાગ્યો. થોડીવાર પછી દરબાને દરવાજો ખોલ્યો અને બોલ્યો શુ કામ છે ? કંજૂસ - સ્વર્ગમાં જવુ છે. દરબાન - કોઈ સારુ કામ કર્યુ છે ? કંજૂસ - હા, બે વર્ષ પહેલા એક ડોશીને પાંચ પૈસા આપ્યા હતા. દરબાન-બીજુ કોઈ ? કંજૂસ - બીજુ શુ ? દરબાન - લો આ પંદર પૈસા અને સામેના નર્કમાં જતા રહો.