પાકિસ્તાની અધિકારીઓને આ ધમકી એક લેટર દ્વારા શુક્રવારે સાંજે મળી. આ લેટર મોહમ્મદ ખરસાનીની તરફથી મોકલવામાં આવ્યો હતો. જેને તહરીક-એ-તાલિબાન પ્રમુખ મુલ્લા ફજલુલ્લાના ટોપ કમાંડર માનવામાં આવે છે. આ લેટરમાં લખવામાં આવ્યુ છે કે જો જેલમાં બંધ કોઈપણ આતંકીને ફાંસી થાય છે તો સેનાના જનરલો અને નેતાઓના ઘરોમાં ખૂબ જ શોક મનાવવામાં આવશે. હવે પાકિસ્તાન સરકાર એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ લેટર અસલી છે કે નકલી ?