રાહુલ ગાંધી વિપક્ષ નેતા તરીકે પહેલી વાર મણિપુર પહોંચ્યા

સોમવાર, 8 જુલાઈ 2024 (18:36 IST)
Rahul gandhi in manipur- સોમવારે સવારે કૉંગ્રેસ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચી ગયા છે.
 
રાહુલ ગાંધીએ જીરીભામ હાયર સેકન્ડરી સ્કૂલના રાહતકૅમ્પની મુલાકાત લીધી અને લોકો સાથે વાતચીત કરી છે.
 
રાહુલ ગાંધી વિપક્ષ નેતા તરીકે પહેલી વાર મણિપુર પહોંચ્યા છે.
 
મે 2023માં શરૂ થયેલી મણિપુરમાં હિંસા બાદ રાહુલ ગાંધી અહીં ત્રીજી વાર પહોંચ્યા છે. હિંસા શરૂ થયા બાદ રાહુલ ગાંધી પીડિતોને મળવા માટે પહોંચ્યા હતા.
 
આ વર્ષે જાન્યુઆરીથી બીજી વાર રાહુલ ગાંધીએ મણિપુરથી પોતાની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી હતી.
 
રાહુલ ગાંધી જીરીભામ બાદ ચુરાચાંદપુરના રાહતકૅમ્પમાં પણ જશે.
 
રાહુલ ગાંધી જીરીભામના રસ્તામાં આવતા આસામના સિલચરમાં ગયા અને ત્યાં પૂરપીડિતો સાથે રાહતકૅમ્પમાં લોકોની સાથે મુલાકાત કરી હતી.
 
આસામ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભૂપેન બોરાહના નેતૃત્વમાં પાર્ટીના એક પ્રતિનિધિમંડળે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને એક અરજી આપી હતી અને આસામ પૂરનો મુદ્દો સંસદમાં ઉઠાવવાનો આગ્રહ કર્યો હતો.
 
મીડિયા રિપોર્ટ અનુસાર, આસામમાં પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર