મોદીએ કહ્યુ કે ભારતમાં ઉચ્ચતમ ન્યાયાલયે હિન્દુ ધર્મની મોટી સુંદર પરિભાષા આપી છે. હાઈકોર્ટે કહ્યુ કે હિન્દુ ધર્મ કોઈ ધર્મ નથી પણ એક જીવનશૈલી છે. હુ સમજુ છુ કે ઉચ્ચ ન્યાયાલયની પરિભાષા રસ્તો બતાવે છે. તેમણે કહ્યુ કે હિન્દુ ધર્મએ વૈજ્ઞાનિક જીવન પદ્ધતિ દ્વારા વન્યજીવો સહિત પ્રકૃતિના લાભ માટે કામ કર્યુ છે. તેમણે કહ્યુ, આ જીવનની નાની સમસ્યાઓના સમાધાનનો રસ્તો બતાવી શકે છે.