તુર્કી મીડિયાના મુજબ ઈરાકના માનવાધિકાર મંત્રાલયે મંગળવારે આ વિશે નિવેદન રજુ કર્યુ. જેના મુજબ આઈએસના આતંકવાદી અબુ અનસ અલ-લીબીએ ઈરાકના અલ અનબાર શહેરમાં આ ઘટનાને અંજામ આપ્યો. આ આતંકીએ 150થી વધુ મહિલાઓને જેહાદ મેરેજ માટે દબાણ કર્યુ અને જ્યારે આ મહિલાઓએ ના પાડી તો તેમને મોતને ઘાટ ઉતાર્યા પછી તેમને ફલૂજામાં સામુહિક રૂપે દફનાવી દેવામાં આવી. જેમાંથી અનેક મહિલાઓ પ્રેગનેંટ હતી.
ઈસ્લામિક સ્ટેટના લડાકુઓ અલ-અનબાર શહેરના ઉત્તરી કસ્બા ઉલ-તાફામાં સેકડો પરિવારોને આ વિસ્તાર છોડવા માટે મજબૂર કર્યા. આ લોકોને મોતની ધમકી આપવામાં આવી હતી. આ આતંકવાદીઓએ ગયા મહિને આ પ્રાંતમાં રમાદી રાસ અલ-મા ગામમાં અલ બૂ નિમ્ર જનજાતિના 50 લોકોને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. જેમા અનેક મહિલાઓ અને બાળકો પણ હતા. આ જનજાતિના એક વડીલ વ્યક્તિએ જણાવ્યુ કે આતંકવાદીઓએ લોકોને એક લાઈનમાં ઉભા કરીને ગોળીઓથી વીંધી નાખ્યા હતા.