તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા આજે રાત્રે 11-30 કલાકે અવસાન પામ્યા છે તેઓ 68 વર્ષના હતા;એપોલો હોસ્પિટલે મોડી રાત્રે સત્તાવાર જાહેર કર્યું હતું. પક્ષના ધારાસભ્યોને સંબોધતા પન્નીરસેલ્વમે જણાવ્યું હતું કે તે અમ્માના ઉત્તરાધિકારી છે. તેઓ છેલ્લા 75 દિવસથી અપોલો હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
જયલિલતાને 22 સપ્ટેમ્બરે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે સાંજે તેમની પાર્ટી AIADMK જાહેર કર્યું હતું કે જયલલિતા સંપૂર્ણપણે રિકવર કરી ચૂક્યા છે, પરંતુ અમુક કલાકો બાદ તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો હોવાનું બહાર આવતા ફરી વખત ICCUમાં શિફ્ટ કરવામાં આવ્યા. સોમવારે સાંજે તમિલ મીડિયા દ્વારા તેમના નિધનના સમાચાર આપવામાં આવ્યા હતા અને પાર્ટીનો ઝંડો પણ ઝુકાવી દેવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલે આ દાવાઓને ખારીજ કર્યા. લગભગ 24 કલાક સુધી જયલલિતાના સ્વાસ્થ્યને લઇને સસ્પેન્સ જારી રહ્યું હતું. નિધનની ઘોષણા બાદ એવું માનવામાં આવી રહ્યું છેકે જયલિલતા સરકારમાં ફાયનાન્સ મિનિસ્ટર રહેલા ઓ. પન્નીરસેલ્વમ તમિલનાડુના આગામી મુખ્યમંત્રી હશે