કેનેડાની મસ્જિદમાં ગોળીબાર, 5ના મોત

સોમવાર, 30 જાન્યુઆરી 2017 (15:26 IST)
કેનેડાની એક મસ્જિદમાં ગોળીબાર થયાના અહેવાલ મળી રહ્યા છે. કેનેડાના કયૂબેક સિટીની મસ્જિદમાં મોડી સાંજે નમાજ દરમિયાન થયેલા ગોળીબારમાં 5 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે.
 
   જાણવા મળ્યા મુજબ બંદૂકધારીઓએ તે સમયે ફાયરિંગ કર્યું હતું, જયારે કયૂબેક સિટીમાં ઈસ્લામી સાંસ્કૃતિક કેન્દ્રની અંદર લગભગ 40 લોકો હાજર હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને નાકાબંધી કરી લીધી છે અને ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટનામાં પોલીસે 2 લોકોની ધરપકડ પણ કરી છે.

વેબદુનિયા પર વાંચો