નાસાના વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે આ તોફાનથી ગભરાવવાની જરૂર નથી. અંતરિક્ષ વૈજ્ઞાનિક બિલ મૂરટઘના મુજબ સૂરજની સપાટી પર સમય સમય પર આ પ્રકારના ધમાકા થતા રહે છે. માણસો પર આની કોઈ અસર નથી પડતી પણ વીજળી અને કમ્યુનિકેશનના સાધનો પર પ્રભાવ પડી શકે છે. ફ્લાઈટ રેડિયો સંચાર અને એટીએમ સેવાના પ્રભાવિત થવાની શક્યતા બતાવવામાં આવી રહી છે. આજે આ તોફાન ધરતીના વાયુમંડળમાં પ્રવેશ કરી જશે.