હોસ્પિટલની બહાર તંબૂમાં રહેતા હતા આ પત્રકાર
પ્રસારણકર્તા મુજબ માર્યા ગયેલા પત્રકારો અલ જજીરના સંવાદદાતા અનલ અલ-શરીફ અને મોહમ્મદ કરીકેહ સાથે જ કૈમરામૈન્ન ઈબ્રાહિમ જહીર, મોસમેન અલીવાને મોહમ્મદ નૌફલ પણ સામેલ છે. અલ જજીરાએ જણવ્યુ કે તેઓ એ લોકોમાં સામેલ હતા જે અલ શિફા હોસ્પિટલના મુખ્ય દ્વારની પાસે પ્રેસ માટે લાગેલા એક તંબૂમાં રહી રહ્યા હતા. ઈઝરાયલી સેનાએ આ તંબૂને નિશાન બનાવીને હુમલો કર્યો અને 5 પત્રકાર ઠાર કર્યા.
પત્રકાર હોવાનુ કરી રહ્યા હતા નાટક - ઈઝરાયલ
હુમલા પછી તરત જ, ઇઝરાયલી સેનાએ એક નિવેદનમાં અનસ અલ-શરીફને નિશાન બનાવ્યાની કબૂલાત કરી. ઇઝરાયલી સેનાએ એવો પણ દાવો કર્યો હતો કે અલ-શરીફે પત્રકાર હોવાનો ડોળ કર્યો હતો. તે હમાસ સાથે હતો. ઇઝરાયલે અલ જઝીરાના પત્રકારને આતંકવાદી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે હમાસમાં આતંકવાદી સેલના વડા તરીકે કામ કરતો હતો.
અલ-શરીફે ઈઝરાયલ નાગરિકો પર રોકેટથી કર્યા હતા હુમલા
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, 'અલ જઝીરાના પત્રકાર હોવાનો દાવો કરનાર હમાસ આતંકવાદી અનસ અલ-શરીફ હમાસ આતંકવાદી જૂથનો વડા હતો અને તેણે ઇઝરાયલી નાગરિકો અને IDF સૈનિકો પર રોકેટ હુમલા કર્યા હતા.'
પ્રેસ બેજ આતંકવાદ માટે ઢાલ બની શકતો નથી - IDF
આ સાથે, IDF એ કહ્યું, 'ગાઝામાંથી મળેલા ગુપ્ત માહિતી અને દસ્તાવેજો, જેમાં રોસ્ટર, આતંકવાદી તાલીમ યાદીઓ અને પગાર રેકોર્ડનો સમાવેશ થાય છે. આ બધા સાબિત કરે છે કે તે અલ જઝીરા સાથે સંકળાયેલો હમાસ કાર્યકર હતો. પ્રેસ બેજ આતંકવાદ માટે ઢાલ બની શકે નહીં.'