સોમાલીયાના કટ્ટરપંથી વિદ્રોહીઓનો બંદર પર કબ્જો

ભાષા

રવિવાર, 16 નવેમ્બર 2008 (11:44 IST)
મોગાદિશુ. એક કટ્ટરપંથી ઈસ્લામી સંગઠને સોમાલીયાના એક અન્ય બંદરગાહ શહેર પર કબ્જો કરીને રાજધાનીની સીમાની સાથે જોડાયેલ દક્ષિણ પશ્ચિમ ક્ષેત્ર પર પોતાની મજબુત પકડ જમાવી લીધી છે.

બંદરગાહ શહેરના બરાવેના રહેવાસી અમીન અદનના જણાવ્યાં મુજબ હવે શબાબના લડવૈયાઓએ શનિવારે આ વિસ્તાર પર કોઈ પણ સંઘર્ષ વિના કબ્જો મેળવી લીધો હતો. સરકારના સહયોગીયોએ જેવી આ વાત સાંભળી કે સંગઠનના લોકો ત્યાં પહોચી રહ્યાં છે તુરંત જ તેમણે ક્ષેત્ર છોડી દિધું.

વેબદુનિયા પર વાંચો