સુમદ્રી ચાંચિયાઓએ જહાજ મુક્ત કર્યું

વેબ દુનિયા

સોમવાર, 23 માર્ચ 2009 (11:37 IST)
સોમાલિયાના ચાંચિયાઓ દ્વારા તાજેતરમાં હાઇજેક કરવામાં આવેલા કાર્ગો જહાજના 16 ભારતીય નાવિકોને આખરે સોમાલિયન સમુદ્ર કિનારા નજીક મુક્ત કરવામાં આવ્યા હોવાનું ડાયરોક્ટરેટ જનરલ ઓફ શિપીંગ દ્વારા જણાવાયું છે.

દુબઇ અને મોગાદિશુ વચ્ચે માલની હેરાફેરી કરતા એમએસવી અલ રફીક નામના માલવાકહ જહાજનું ચાંચિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. છેવટે ભારતીય નાવિકોને મુક્ત કરી દેવાયા છે પરંતુ તેમને મારવામાં આવ્યા હતા તેમજ તેમના મોબાઇલ ફોન, પાંચ બેરલ પેટ્રોલ, 20 બેરલ ડિઝલ સહિત અન્ય ચીજ વસ્તુઓની લૂંટ કરી હતી.

વેબદુનિયા પર વાંચો