સરબજીતની ફાંસીની સજા ટળી શકે -રીપોર્ટ

ભાષા

ગુરુવાર, 30 ઑક્ટોબર 2008 (11:12 IST)
ભારતીય નાગરિક સરબજીતસિંહનાં પરિવારજનો માટે સારા સમાચાર છે. ફાંસીની સજાનો સામનો કરી રહેલાં સરબજીતસિંહની ફાંસીની સજા પાછી ખેંચાઈ શકે છે.

પાકિસ્તાનની ખાનગી ટીવી ચેનલ નાં રીપોર્ટ મુજબ સરબજીતસિંહની ફાંસીની સજા ઓછી થઈ શકે છે. કારણ કે જેલમાં તેની ફાંસી માટે ઓરડીમાંથી બહાર કાઢી સામાન્ય ઓરડીમાં ખસડેવામાં આવ્યો છે.

સરબજીતસિંહ પર આરોપ છે કે 1990માં વિસ્ફોટ કરવાના કેસમાં તેને દોષી જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં 14 લોકોનાં મોત થયા હતા. જો કે આ અંગે સરકાર તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

વેબદુનિયા પર વાંચો