વિજય રૂપાણીએ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં, જુઓ કોણ કોણ છે તેમની ટીમમાં અને કોનો કોનો દાવ થઈ ગયો
રવિવાર, 7 ઑગસ્ટ 2016 (13:16 IST)
ગુજરાતમાં આનંદીબેન પટેલના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી તરીકેની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં આમતો નિતીન પટેલનું નામ અગ્રેસર હતું પણ કેટલાક વિવાદોને લઈને તેમના સ્થાને વિજય રૂપાણીનું નામ જાહેર કરતાં સૌ કોઈ ચોંકી ગયા હતાં. ત્યારે 12.39ના વિજય મુર્હતમાં વિજય રૂપાણીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે પોતાના પદના શપથ લીધા હતા. તેમને રાજ્યપાલ ઓપી કોહલીએ આ શપથ લેવડાવ્યા હતા. તેમજ નિતિન પટેલે પણ નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતાં. આ સાથે જ નવા મંત્રી મંડળના સભ્યો પણ ત્યાં શપથ લીધા હતાં. મંત્રીમંડળમાં નીતિન પટેલ સહિત કુલ 24 મંત્રીઓ છે. જેમાં આઠ કેબિનેટ કક્ષાના અને 16 રાજ્યકક્ષાના મંત્રીઓના સમાવેશ થાય છે. સાથે જ 9 મંત્રીઓ કપાયા છે અને 12 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ શપથ વિધિમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હાજર રહ્યા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ જેવા મહેમાનો પણ આવ્યા હતા. ઉપરાંત મુરલી મનોહર જોષી, થાવરચંદ ગેહલોત્ત, હર્ષવર્ધન, રધૂબર દાસ ( સીએમ ઝારખંડ ), રણજિત દતા (સીએમ આસામ), મનોહરલાલ ખટ્ટર (સીએમ હરિયાણા), રામલાલજી, અનુપ્રિયા પટેલ ( આપના દળ ), રાજેશ મુનાત (મિનિસ્ટર છતીશગઠ), ક્લરાજ મિશ્રા અને દેવજી પટેલ પણ હાજર રહ્યા હતા. શપથ વિધી અગાઉ વિજય રૂપાણી અને નિતીન પટેલ ગુજરાત વિધાન સભાના પૂર્વ અધ્યક્ષ અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને વિજય રૂપાણી અને નીતિન પટેલ મળ્યા હતાં. વિજય રૂપાણીએ વાત કરતા કહ્યું હતું, 'નવી ટીમમાં ઘણા નવા ચહેરાનો સમાવેશ કરાયો છે'
કોણ કપાયું અને કોનો દાવ થયો, નવ મંત્રીઓ કપાયા. ત્રણ કેબિનેટ અને છ રાજ્યકક્ષાના
રમણલાલ વોરા
મંગુભાઇ પટેલ
સૌરભ પટેલ
વસુબેન ત્રિવેદી
છત્રસિંહ મોરી
રજનીકાંત પટેલ
ગોવિંદભાઇ પટેલ
તારાચંદ છેડા
કાંતિભાઇ ગામીત