મુશરર્ફ સાથે કોઈ સમાધાન નહીં- નવાઝ

ભાષા

સોમવાર, 3 માર્ચ 2008 (00:10 IST)
લાહોર(ભાષા) રાષ્ટ્રપતિ પરવેઝ મુશરર્ફે પાકિસ્તાનને અમેરિકાનુ ઉપનિવેશ બનાવી દીધુ છે અને તેમની સાથે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકારનુ સમાધાન શક્ય નથી તેવુ પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરિફે ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું હતુ. એક જાહેરસભાને સંબોધતા તેમણે કહ્યુ હતુ કે, મુશરર્ફે તાકાતનો દુરઉપયોગ કરીને પાક.ના નાગરિકોની હત્યા કરાવી છે અને તેથી જ તેમની પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓનો ચુંટણીમાં કારમો પરાજય થયો હતો.

વેબદુનિયા પર વાંચો