મૃતકોને દફનાવવા વીતી રાત જ શરૂ થઈ ગઈ હતી અને આ આજે પણ ચાલુ રહેશે. નમાઝ એ જનાજામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની આશા છે. હુમલાની જવાબદારી લેનારા તહરીક-એ-તાલિબાનના નિકટના સહયોગીઓએ પણ આ કૃત્યની નિંદા કરી છે. અફગાન તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે એક નિવેદનમાં કહ્યુ કે તેના સમુહની પીડિતો પ્રત્યે સહાનુભૂતિ છે. આ આતંકવાદીઓએ પાકિસ્તાનમાં હુમલા પર વિગતમાં ક્યારેક ક્યારેક જ નિવેદન રજુ કર્યુ છે.
દિલ્હી રોડ સ્થિત આરપીએસ શાળાના વિદ્યાર્થીઓએ પણ પાકિસ્તાનમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ માટે શોક વ્યક્ત કરી તેમની આત્માની શાંતિની કામના કરી છે. આ દર્દનાક ઘટનાથી સમગ્ર શિક્ષા જગતને ઠેસ પહોંચી છે. આ ક્રમમાં એમએલપી શાળાના વિદ્યાર્થીઓએ પાકિસ્તાન આર્મી શાળામાં થયેલ આતંકી હુમલામાં નિર્દોષ માર્યા ગયેલ વિદ્યાર્થીઓની આત્મશાંતિ માટે પ્રાર્થના કરી. સ્ટાફના સભ્યોએ પણ શોક વ્યક્ત કર્યો.