પઠાણ કોટ હુમલો - પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના 3 વ્યક્તિઓની ધરપકડ

બુધવાર, 13 જાન્યુઆરી 2016 (17:10 IST)
પઠાણકોટ એયરબેસ પર થયેલ હુમલા મામલે પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના અનેક સભ્યોની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. સમાચાર એજંસી રાયટર્સ મુજબ પાકિતાન સરકારે જૈશ-એ-મોહમ્મદ પર કાર્યવાહી કરી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી રજુ એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ સમૂહના અનેક બીજા ઓફિસો પર પણ છાપો માર્યો છે અને તેને સીલ કરવામાં આવ્યુ છે. 
 
એવુ પણ કહેવાય રહ્યુ છે કે પાકિસ્તાની સરકારે પોતાના ખાસ તપાસ અધિકારીઓના એક દળને પઠાણકોટ એયરબેસ મોકલવા માંગે છે. જૈશ-એ-મોહમ્મદના સભ્યોની ધરપકડના સમાચાર ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવ સ્તરના અધિકારીઓની પ્રસ્તાવિત બેઠકથી 48 કલાક પહેલા આવી છે. 

વેબદુનિયા પર વાંચો