ઉલ્લેખનીય છે કે પેશાવરના આર્મી શાળામાં 132 બાળકો સહિત 141 લોકોને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. આ હુમલા પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે કહ્યુ હતુ કે તેઓ તેમની ધરતી પરથી દરેક પ્રકારના આતંકનો ખાત્મો કરશે અને છેલ્લા 6 વર્ષથી ફાંસી પર લાગેલી રોકને હટાવી દેવામાં આવી. એવુ કહેવાય છે કે બે આતંકવાદીઓએન ફાંસી આપવાની કાર્યવાહી પછી તાલિબાન ગુસ્સામાં છે.