તાલિબાનો દ્વારા 31ની હત્યા

ભાષા

સોમવાર, 20 ઑક્ટોબર 2008 (11:00 IST)
અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓએ એક બસને રોકીને લગભગ 31 તાલિબાનોની હત્યા કરી દિધી હતી અને યાત્રિઓને બંદી બનાવી લીધા હતાં. અફઘાનિસ્તાનના અધિકારી જનરલ મોહમ્મદ જાહીર અજીમીએ કહ્યું હતું કે કંધાર વિસ્તારના મૈવાંડ જીલ્લામાં એક હુમલાની અંદર 31 લોકોના મોત થયા હતાં. કંધાર શહેરથી પશ્ચિમ તરફ આ સ્થળ આવેલું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મરનારામાંથી છ જણાના ગળા કાપી નાંખવામાં આવ્યાં હતાં. અહીંના એક પોલીસ અધિકારીએ એવું જણાવ્યું હતું કે આતંકવાદીઓએ હુમલાના સમયે લગભા 50 લોકોને પોતાના કબ્જામાં લઈ લીધા હતાં અને તેમણે જેટલાને બંદી બનાવ્યાં હતાં તેમાંથી અમુકને તો છોડી દિધા હતાં.

તેમણે તેવું પણ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ બસની અંદર 27 જેટલા અફઘાન સૈનિકો હતાં તેમની હત્યા કરી દિધી હતી અને અન્યોને છોડી દિધા હતાં.

વેબદુનિયા પર વાંચો