કાશ્મીરમાં વાસ્તવિક મુદ્દા હલ કરે - પાકિસ્તાન

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં સૈનિકોની સંખ્યામાં કપાત કરવાના ભારતના પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે નવી દિલ્લીની જમીની હાલતમાં સુધારો લાવવા માટે 'વાસ્તવિક મુદ્દા' હલ કરવા જોઈએ.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ બાસિતે સરકારી સમાચાર ચેનલ 'પીટીવી' પર એક ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી. તેમણે કહ્યુ ભારતે થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીર પર થી સેના હટાવી લેવાની જાહેરાત કરી, પરંતુ અસલ મુદ્દો વર્તમાન પરિસ્થિતિ પર જમીની સ્તરનો સુધાર લાવવાનો છે.

વેબદુનિયા પર વાંચો