તુર્કીના ઈસ્તાંબુલના મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના પ્રવેશ દ્વાર પર ત્રણ આત્મઘાતી હુમલાવરે ખુદને ઉડાવતા પહેલા ગોળીબાર શરૂ કરી દીધો. જેમા 36 લોકો માર્યા ગયા અને લગભગ 147 લોકો ઘાયલ થઈ ગયા. તુર્કીના યિલદિરિમે કહ્યુ કે આ હુમલો ત્રણ આત્મઘાતી હુમલાવરો દ્વારા કરવામાં આવ્યો અને બધા શરૂઆતના સંકેત બતાવે છે કે આની પાછળ ઈસ્લામિક સ્ટેટ સમૂહનો હાથ છે.