. તુર્કીની કોલસા ખાણમાં થયેલ વિસ્ફોટમાં 166 લોકો માર્યા જવાના સમાચાર છે. આ ખાણ તુર્કીની રાજધાની ઈસ્તાંબુલથી લગભગ 250 દૂર સોમા શહેરમાં છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જે સમયે ધમાકો થયો ત્યારે ખાણમાં 300થી વધુ મજૂરો હાજર હતા. અધિકારીઓનુ કહેવુ છે કે બ્લાસ્ટ એક ખરાબ પાવર યૂનિટને કારણે થયો છે જે ખદાનમાં લગભગ બે કિલોમીટર ઊંડાઈ પર છે. એવુ કહેવાય રહ્યુ છે કે ધુમાડાને કારણે બચાવ કાર્યમાં મુસીબત આવી રહી છે. જો કે ખાણની અંદર પાઈપ દ્વારા ઓક્સિજન પહોંચાડવામાં આવી રહી છે. જેથી મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ ન થાય.