શું તમે ફ્રીજમાં મુકેલા લોટમાંથી રોટલી બનાવો છો? તો જાણી લો કેમ તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય માટે છે નુકશાનદાયી

ગુરુવાર, 18 જુલાઈ 2024 (00:12 IST)
હેલ્થ એક્સપર્ટ અનેકવાર  લોટ બાંધાતાની સાથે જ રોટલી બનાવીને ખાવાની  ભલામણ કરે છે. પરંતુ ઘણીવાર આળસને કારણે લોકો એક સાથે વધુ લોટ બાંધીને ફ્રીજમાં મુકે છે અને પછી આ મુકેલા લોટમાંથી રોટલી બનાવીને ખાય છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે જો તમે લોટને ભેળવીને તેનો તરત ઉપયોગ કરવાને બદલે તેને ફ્રીજમાં મુકો છો, તો તમારી રોટલીમાં રહેલા કેટલાક વિટામિન અને મિનરલ્સ નષ્ટ થઈ જાય છે. ચાલો જાણીએ રેફ્રિજરેટરમાં મુકેલા લોટમાંથી બનેલી રોટલી ખાવાની સાઈડ ઈફેક્ટ વિશે... 
 
આંતરડાના સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર 
જો તમે પણ ફ્રિજમાં મુકેલા લોટમાંથી રોટલી બનાવો છો, તો તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે. જો તમે આ ક્રિયા ચાલુ રાખો છો, તો તમને ગેસ અને એસિડિટી જેવી પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત  ગૂંથેલા લોટને રેફ્રિજરેટરમાં રાખવાથી તેમાં ફૂગ પણ વધી શકે છે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. 
 
બેક્ટેરિયા પેદા થઈ શકે
લોટને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં મુકવાથી તેમાં બેક્ટેરિયાના વિકાસની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત તાજા લોટમાંથી બનતી રોટલીનો સ્વાદ રેફ્રિજરેટરમાં મુકવામાં આવેલા લોટમાંથી બનેલી રોટલીના સ્વાદ કરતાં અનેક ગણો સારો હોય છે. જો તમે પણ તમારા સ્વાસ્થ્યને મજબુત બનાવવા માંગો છો તો બાંધેલા લોટને રેફ્રિજરેટરમાં મુકો અને તેનો ઉપયોગ કરવાનું બંધ કરો.
 
તમારા આહારમાં તાજા લોટનો સમાવેશ કરો
જો તમે રોટલીમાં રહેલા તમામ પોષક તત્વોનો મહત્તમ લાભ લેવા માંગતા હોય તો તમારે તમારા આહારમાં તાજા લોટનો સમાવેશ કરવો જોઈએ. 
 આ ઉપરાંત  લોટ બાંઘતી વખતે તમારે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર