Fruits at nIght- રાત્રે ભૂલથી ન કરો આ ફળોનું સેવન

સોમવાર, 11 ડિસેમ્બર 2023 (16:25 IST)
ફળો ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ રાત્રે 8 વાગ્યા પછી ફળ ખાવાનું ટાળવું જોઈએ. કેટલાક ફળો ખાસ કરીને રાત્રે ન ખાવા જોઈએ.
 
કેળા - રાત્રે કેળા ખાવાનું ટાળવું જોઈએ. કેળા એનર્જી આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પરંતુ રાત્રે કેળા ખાવાથી સમસ્યા થઈ શકે છે. જેના કારણે શરીરનું તાપમાન વધવાનું જોખમ રહેલું છે. રાત્રે કેળા ખાવાથી ઊંઘમાં તકલીફ થાય છે.
 
દ્રાક્ષ અને મોસંબી- મોસંબીની તાસીર ઠંડી હોય છે. નારંગી અને દ્રાક્ષમાં પણ એસિડિક પદાર્થો હોય છે. તેથી, તેમને સૂતા પહેલા ખાવું જોઈએ નહીં. તેમાં વિટામિન સી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આ ફળો ખાધા પછી સૂવાથી પેટમાં ગેસ અને એસિડિટી થાય છે.
 
સંતરા- અનેક લોકોને સંતરા ખૂબ જ પસંદ હોય છે. તમને જણાવી દઈએ કે, રાતના સમયે સંતરા ના ખાવા જોઈએ નહીંતર આરોગ્ય જોખમાઈ શકે છે. 
 
સફરજન- સફરજન ખાવાથી અનેક પરેશાની દૂર થાય છે. રાતના સમયે સફરજન ના ખાવું જોઈએ, નહીંતર આરોગ્ય પર ખોટી અસર થઈ શકે છે.  ગેસ અને એસિડિટી થાય છે.
 
ચીકૂ- ચીકૂ ટેસ્ટી અને હેલ્ધી હોય છે, ચીકૂમાં શુગર પુષ્કણ પ્રમાણમાં હોય છે. આના કારણે શરીરમાં શુગર અને એનર્જીનું સ્તર વધે છે અને તમને ઊંઘમાં તકલીફ થઈ શકે

Edited By-Monica sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર