Typhoid ટાઇફોઇડ તાવ ના કારણો, લક્ષણો, અને ઉપચાર ।

ગુરુવાર, 31 માર્ચ 2022 (12:31 IST)
ટાઇફૉઇડ (Typhoid) ની બીમારી બહુ જ તકલીફદાયક હોય છે. ઉનાળો શરૂ થતાં જ પાણીજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું છે. તે સ્વચ્છતાનો અભાવ અને દૂષિત ચીજો ખાવાથી થાય છે. કોઈ પણ ઋતુ હોય, પાણી ઉકાળીને પીવું વધુ ફાયદાકારક હોય છે. પાણી પીવાથી ડીહાઇડ્રેશનથી બચી શકાય છે. આદુ અને તુલસીની ચા ટાઇફૉઇડમાં રાહત મેળવવા માટે ફાયદારૂપ છે.  લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, પેટમાં દુખાવો, નબળાઇ, ઉલટી અને છૂટક મળનો સમાવેશ થાય છે.
 
- તુલસી ના પતા નો રસ પીવાથી પણ ટાઇફોઇડ દુર થય સકે  છે.
- ટાઈફાઈડથી રાહત મેળવવા - એક ગ્લાસ પાણીમાં ચાર પાંચ લવિંગ નાખીને ઉકાળી લો. આ પાણી ઠંડુ થાય પછી દિવસમાં ત્રણ ચાર વાર તેનુ સેવન કરો. ફાયદો થશે.
- થોડું આદુ, તુલસીનાં પાંદડાં, ધાણાભાજી અને મરીને સારી રીતે પાણીમાં ઉકાળી લો અને તેમાં ખાંડ નાખીને તે પીવો.
- દરરોજ કાચી ડુંગળીના સેવનથી ટાઈફાઈડના કિટાણું મરી જાય છે અને આનું સેવન ક્ષય જેવા ભયંકર રોગમાં પણ ઘણું લાભકારી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર