Careful Holi - અસ્થમાના દર્દીઓએ હોળીના દિવસે આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો તહેવાર મોંઘો પડશે

મંગળવાર, 7 માર્ચ 2023 (08:47 IST)
હિન્દુ ધર્મમાં હોળી ખૂબ જ મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. રંગો અને ગુલાલ વગર આ તહેવાર અધૂરો માનવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને પ્રેમથી રંગ લગાવે છે અને ઘરે બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણે છે. પરંતુ અસ્થમાથી પીડાતા દર્દીઓ માટે આ તહેવાર ક્યારેક મુશ્કેલીનું કારણ બની જાય છે. જો હોળીના દિવસે ગુલાલ કે રંગ તેમના  મોંઢામાં જાય તો તેમને અસ્થમા અટેક આવી શકે છે. આજે અમે અસ્થમાના દર્દીઓ માટે સાવધાની સાથે સંબંધિત ઘણી મહત્વપૂર્ણ ટીપ્સ બતાવી રહ્યા છીએ.
 
કેમિકલયુકત રંગ અને ધૂળથી દૂર રહો
જે લોકો અસ્થમાથી પીડિત છે તેમણે મસ્તી, કેમિકલ રંગો અને ધૂળવાળી માટીની અસરોથી બચવું જોઈએ. જો તમને હોળી રમવાની બહુ ઈચ્છા હોય તો તમે પાણીથી હોળી રમી શકો છો. કારણ કે, રંગ અને ગુલાલથી હોળી રમવાથી અસ્થમાના અટેકનો ખતરો વધી જાય છે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ રીતે બગડી શકે છે.
 
હંમેશા સાથે રાખો ઇન્હેલર 
અસ્થમાના દર્દીઓએ હોળીના દિવસે હંમેશા પોતાની સાથે ઇન્હેલર રાખવું જોઈએ. આ દિવસે, મોટી ભીડમાં હોળી ઉજવવાથી, તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, આવી સ્થિતિમાં, તમારી પાસે ઇન્હેલર હોવું આવશ્યક છે. આના ઉપયોગથી તમે તરત જ રાહત મેળવી શકો છો. જો તમારી પાસે ઇન્હેલર નથી, તો તેના કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.
 
પીડિતને થઈ શકે છે પરેશાની  
જાણકારોના મતે, અસ્થમાના દર્દીઓએ કેમિકલ રંગોથી હોળી રમવાનું ટાળવું જોઈએ. એનું કારણ તે રંગોમાં હાજર એ કણ હોય છે, જે સીધા હવાના સંપર્કમાં રહે છે. જ્યારે તે કણો દર્દીઓના ફેફસામાં પ્રવેશ કરે છે, ત્યારે પીડિતને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર