એક બોલિવૂડ ફિલ્મમાં સાંભળ્યુ હતુ કે દાળ-રોટી ખાવ અને પ્રભુના ગુણ ગાવો .પણ એવુ નથી કે દાળ માત્ર મજબૂરી અને લાચારીમાં જ આપણી મિત્ર છે. આરોગ્ય દ્રષ્ટિએ પણ દાળ ખૂબ જ જરૂરી છે. દાળમાં પૂરતી માત્રામાં પ્રોટીન, વિટામિન્સ અને ખનીજ હોય છે.
સ્પ્રાઉટસમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી 1, વિટામિન બી 6 અને વિટામિન જોવા મળે છે. એમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ ,મેંગેનીઝ પણ વિપુલ પ્રમાણમાં હોય છે.તાજા સ્પ્રાઉટસ રાંધેલા સ્પ્રાઉટસથી વધારે સારું હોય છે. કારણ કે રાંધવાથી તેમાં રહેલા થોડા એંજાઈમ નાશ પામે છે.સ્પ્રાઉટસ ખાધા પછી સરળતાથી પાચન થઈ જાય છે કારણ કે એમાં વિપુલ પ્રમાણમાં એંજાઈમ હોય છે.જે લોકોના પાચનતંત્રમાં સમસ્યા હોય તેના માટે સ્પ્રાઉટસ ઉત્તમ પસંદગીઓ છે.
આરોગ્ય માટે ગુણધર્મો
તુવેર : આ દાળ કફ અને લોહીની વિકૃતિઓ દૂર કરે છે.એમાં પ્રોટીન, વિટામિન્સ, કાર્બોહાઇડ્રેટ્સ, ફોસ્ફરસ, વિટામિન એ અને બી હોય છે છે.