મીઠું ખારું, મધુર, પચવામાં ભારે, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, ખોરાકનું યોગ્ય પાચન કરાવનાર, ઝાડો લાવનાર, ખારું છતાં દાહ-બળતરા ન કરનાર, કફને પ્રકુપીત કરનાર, વાયુ મટાડનાર, રુચીપ્રદ, થોડા પ્રમાણમાં લેવાથી હૃદય માટે હીતકારક, અને વાળને અકાળે સફેદ કરનાર છે. તે વધારે પડતું ગરમ કે વધારે પડતું ઠંડુ નથી. મીઠું વધારે પડતું લેવાથી એટલું જ નુકસાનકર્તા છે. મીઠું હલકું, રોચક, ગરમ, અગ્નીવર્ધક, વાતઘ્ન, શ્રેષ્ઠ જંતુઘ્ન, શોથહર, વેદનાહર, સુક્ષ્મ અને ગુમડાં મટાડનાર છે. મીઠું અમ્લતાનાશક છે.
(૪) મીઠાના પાણીમાં બોળીને શાકભાજી ધોવાથી એમાં રહેલ સુક્ષ્મ જંતુઓ મરી જાય છે. બાહ્ય પ્રયોગમાં મીઠું વધુ વાપરવું પરંતુ ખાવામાં વધુ પડતા મીઠાના ઉપયોગથી આંખોનું તેજ ઘટે, વાળ ધોળા થાય કે ખરી જાય અને ચામડીના રોગો થાય છે. મીઠા કરતાં સીંધવનો ઉપયોગ કરવો વધુ આરોગ્યપ્રદ છે.