Gayatri Jayanti 2025 - ગાયત્રી જયંતીના શુભ દિવસ પર વ્હોટ્સ પર કે ફેસબુક મેસેજ દ્વારા મોકલો શુભેચ્છા
ગુરુવાર, 29 મે 2025 (11:11 IST)
gayatri jayanti
હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની અગિયારસના દિવસે ગાયત્રી જયતિ ઉજવાય છે. આ જ દિવસે નિર્જલા એકાદશી પણ ઉજવાય છે. આ દિવસે ગાયત્રીની વિધિ વિધાનથી પૂજા સાથે આ મંત્રોનો જાપ કરવો જોઈએ.
ૐ ભૂર્ભુવ: સ્વ તત્સવિતુવરિણ્યં
ભર્ગો દેવસ્ય: ધીમહી ધિયો યો ન: પ્રચોદયાત
ગાયત્રી જયંતિની હાર્દિક શુભેચ્છા
ગાયત્રી માતાના પાંચ મુખ અને દસ ભુજાઓ છે તેમના ચાર મુખ ચાર વેદોના પ્રતિક માનવામાં આવે છે. અને તેમનુ પાંચમુ મુખ સર્વશક્તિમાન શક્તિનુ પ્રતિનિધિત્વ કરે છે. ગાયત્રી મંત્રનો જાપ સવારે જ નહી પણ બપોરે અને સાંજે પણ કરી શકાય છે.