વૈશ્વિક આર્થિક મંદીને લઇને વર્ષ 2008-09માં દેશનો વિકાસ દર 6.5 થી 6.7 ટકા રહેવાનું અનુમાન હોવાનું ભારતીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના સચિવ અશોક ચાવલાએ કહ્યું હતું.
અમદાવાક ખાતે પત્રકારો સાથે આ અંગે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, આને લઇને કેટલીય અટકળો કરવામાં આવી રહી છે. પરંતુ નાણાં વિભાગના અનુસાર વિકાસ દર 6.5 થી 6.7 ટકા રહેવાનું અનુમાન છે. તેમણે કહ્યું કે, લોખંડ, સિમેન્ટ સહિતના ક્ષેત્રે થયેલી વૃધ્ધિને આધારે તેમના વિભાગે આ અનુમાન લગાવ્યું છે.