દેશમાં 1000 અને 500ના નોટ બેન કરવાના મુદ્દા પર જનતાને થઈ રહેલ પરેશાનીઓને જોતા પીએમ મોદીએ રવિવારે પોતાના રહેઠાણ પર વરિષ્ઠ મંત્રીઓની બેઠક બોલાવી. આ બેઠકમાં લોકોને રાહત આપતા અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા. તેમા 500 અને 1000 રૂપિયાના નોટોને હવે 24 નવેમ્બરની અડધીરાત સુધી ચાલી શકશે. જોકે તેનો ઉપયોગ કેટલીક જરૂરી સેવાઓ જેવી કે હોસ્પિટલ, સ્મશાન ઘાટ, મેટ્રો સ્ટેશન, દવાની દુકાનો, પેટ્રોલ પંપો પર જ કરી શકાશે.