નોટબંધીના સમયે પેટીએમ દ્વારા નાના વેપારીઓ માટે 0%ના મૂલ્ય પર પેમેંટ સ્વીકાર કરવાની સ્કીમ લાવ્યુ હતુ. દુકાનદાર ગ્રાહકો પાસેથી પેટીએમના દ્વારા પૈસા લઈને કોઈપણ ફી આપ્યા વગર એ પૈસાને બેંકમાં ટ્રાંસફર કરી શકતા હતા. પેટીએમ દ્વારા રજુ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે કંપની બેંક ટ્રાંજેક્શન માટે મોટી કિમંત ચુકવે છે. જો કોઈ પૈસા ભરીને પોતાની બેંકમાં નાખી દે છે તો તેનુ નુકશાન કંપનીને ભરવુ પડે છે.