સાથે જ ભારતીય રેલવેએ સવારે દસથી બાર વાગ્યા વચ્ચે તત્કાલ ટિકિટોના બુકિંગ વ્યવસ્થામાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિયમ હેઠળ સવારે દસ વાગ્યાથી અગિયાર વાગ્ય સુધી ફક્ત એસી શ્રેણીના તત્કાલ ટિકિટ બુક કરી શકાશે. જ્યારે કે અગિયાર વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય ફક્ત સ્લીપરનું તત્કાલ બુકિંગ થઈ શકશે. આ સંબંધમાં રેલવે બોર્ડ તરફથી આઠ દસ દિવસમાં સર્કુલર રજુ કરી શકાય છે. સૂત્રો મુજબ રેલવે આ પ્રક્રિયામાં આઠ દસ દિવસમાં જાહેરાત કરી શકે છે.