રોકાણકારોના ખોવાયેલા નાણાં માટે કોણ જવાબદાર રહેશે? શું સરકાર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના આરોપોની તપાસ કરશે?

રવિવાર, 11 ઑગસ્ટ 2024 (17:07 IST)
Hindenburg research - હિંડનબર્ગ રિસર્ચના તાજેતરના રિપોર્ટમાં મોટો દાવો કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં ભારતીય શેરબજાર નિયામક સેબીના વડા માધાબી પુરી બુચ અને તેના પતિ ધવલ બુચ પર ગંભીર આરોપો લગાવ્યા છે.
 
શનિવારની મોડી રાત્રે આવેલા અહેવાલોમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દંપતીએ કથિત અદાણી નાણાની ગેરઉપયોગી કૌભાંડમાં ઉપયોગમાં લેવાતા સંદિગ્ધ ઓફશોર ફંડમાં હિસ્સો ધરાવે છે. આ રિપોર્ટ હિંડનબર્ગ રિસર્ચ તરફથી આવ્યો છે
 
આ પછી દેશમાં ફરી એકવાર રાજકીય ગતિવિધિઓ વધી છે. વિરોધ પક્ષોએ સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે.તેની સાથે રોકાણકારો પણ ડરી ગયા છે. એવું કહેવામાં આવી 
 
રહ્યું છે કે, સોમવારથી જ્યારે ટ્રેડિંગ શરૂ થશે ત્યારે અદાણી ગ્રુપના શેરમાં હલચલ જોવા મળી શકે છે. પહેલાં જ્યારે હિન્ડેનબર્ગ જ્યારે રિસર્ચ રિપોર્ટ આવ્યો ત્યારે સામાન્ય જનતાના લાખો-કરોડો રૂપિયાનું નુકસાન  થયું હતું. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે સરકાર હિંડનબર્ગના રિપોર્ટની તપાસ કેમ નથી કરતી? જો તપાસમાં સાચુ જણાય તો આ બાબતે કાર્યવાહી થવી જોઈએ. સાથે જ જો હિંડનબર્ગનો તપાસ રિપોર્ટ ખોટો હોય તો સરકારે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર