નાણાકીય મંત્રી અરુણ જેટલી લોકસભાના બજેટ સત્રમાં પોતાનુ ત્રીજુ બજેટ રજુ કરી રહ્યા છે. બજેટ દરમિયાન જેટલીએ સ્વાસ્થ્ય સંબંધી અનેક જાહેરાતો કરતા કહ્યુ કે અચાનક બીમાર પડતા પરિવારની આર્થિક સ્થિતિ બગડી જાય છે. 2 લાખથી વધુ લોકો અચાનક બીમારીથી મરી જાય છે. આવા પરિવારો માટે નવી હેલ્થ પ્રોટેક્શન સ્કીમ લોંચ કરી રહ્યા છે. જેના હેઠળ 1 લાખ રૂપિયા સુધીનુ કવરેજ આપવામાં આવશે.