આગામી માર્ચ મહિના સુધી 13 એરપોર્ટનુ ખાનગીકરણ

મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (18:06 IST)
એર ઈન્ડિયાનો સોદો કર્યા બાદ સરકાર વધુ 13 એરપોર્ટનુ ખાનગીકરણ આગામી માર્ચ મહિના સુધીમાં કરવા માંગે છે. સરકાર આ વર્ષે 13 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવા તરફ આગળ વધી રહી છે. સરકારી માલિકીની એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા સંચાલિત 13 એરપોર્ટનું ખાનગીકરણ હાથ ધરવામાં આવશે. આ માટે PPP મોડલ પર બોલી લગાવવા માટે ઉડ્ડયન મંત્રાલયને 13 એરપોર્ટની યાદી મોકલવામાં આવી છે. AAIના પ્રમુખ સંજીવ કુમારે આ જાણકારી આપી છે. પેસેન્જર રેવન્યૂ દીઠ મોડલનો બિડિંગ માટે ઉપયોગ કરવામાં આવશે. તાજેતરમાં આ મોડલના વપરાશમાં સફળતા મળી છે
 
બિડિંગ માટે જે મોડલ અપનાવવામાં આવશે તે પેસેન્જર દીઠ રેવન્યુ મોડલ હશે. આ મોડેલનો તાજેતરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે સફળ રહ્યો છે. જેવર એરપોર્ટ (ગ્રેટર નોઈડામાં) પણ આ જ મોડલ પર બોલી લગાવવામાં આવી હતી.
 
આ એરપોર્ટનું ખાનગીકરણ થશે
 
સૂત્રોના જણાવ્યા અનુસાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ 6 મોટા એરપોર્ટ – ભુવનેશ્વર, વારાણસી, અમૃતસર, ત્રિચી, ઈન્દોર, રાયપુર અને સાત નાના એરપોર્ટ – ઝારસુગુડા, ગયા, કુશીનગર, કાંગડા, તિરુપતિ, જબલપુર અને જલગાંવનું ખાનગીકરણ માટે મંજૂર કરવામાં આવેલ છે. મોટા રોકાણકારોને આકર્ષવા માટે આ નાના એરપોર્ટને મોટા એરપોર્ટ સાથે જોડવામાં આવશે. દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે એરપોર્ટના ખાનગીકરણમાં નાના એરપોર્ટને મોટા એરપોર્ટ સાથે જોડવાનું મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર