ટિકિટ ટ્રાંસફર કરવા માટે ટ્રેન રવાના થવાના 24 કલાક પહેલા સંબંધિત રેલવે સ્ટેશનના ચીફ રિઝર્વેશન સુપરવાઈઝર (સીઆરએસ)ની પાસે આવેદન કરવુ જરૂરી છે. આવેદન સાથે આવી પ્રુફ પણ આપવી પડશે કે એ આદમીની સાથે બ્લડ રિલેશન(સંબંધ) છે. રેલવેથી પ્રાપ્ત માહિતી મુજબ સરકારી વ્યક્તિ અન્ય સરકારી વ્યક્તિને અને વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને પોતાની કંફર્મ ટિકિટ ટ્રાંસફર કરી શકે છે.