. પ્રધાનમંત્રી મોદી જાપાનમાં બ્રાંડ ઈંડિયાની ધાક જમાવવામાં તનતોડ મહેનત કરી રહ્યા છે. આજે તો જાપાનના શેર બજાર નિક્કેઈ સ્ટોક એક્સચેંજ પહોંચ્યા. અને ઉદ્યોગપતિઓને સંબોધન કર્યુ. રોકાણ આકાર્ષિત કરવા માટે તેમણે 100 દિવસના શાસન દરમિયાન કરવામાં આવેલ મોટા નિર્ણયો પણ ગણાવ્યા. પ્રધાનમંત્રીએ કહ્યુ કે જાપાનના વેપારીઓ માટે ભારત ખૂબ સારો વિકલ્પ રહેશે. કારણ કે દેશમાં ઓછા રોકાણ પર ઉત્પાદન શક્ય છે. દેશના મજબૂત ઈંફ્રાસ્ટક્ચરના તેમણે ખૂબ વખાણ કર્યા. વિશ્વાસ વધારવાના હેતુથી પ્રધાનમંત્રીએ કહ્યુ કે ભારતમાં રેડ ટેપ નહી પણ રેડ કાર્પેટ છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે તમે જાપાનમાં 10 વર્ષમાં જેટલુ કમાવો છો તેટલુ ભારતમાં માત્ર 2 વર્ષમાં જ કમાવી શકો છો.
1. જાપાની રોકાણથી ઈંફ્રાસ્ટ્રકચર, ટ્રાંસપોર્ટ સ્માર્ટ સિટી, મેન્યુફેક્ચરિંગ ક્લીન એનર્જી અને સ્કિલ ડેવલોપમેંટ સાથે સંકળાયેલ યોજનાઓને ફાયદો થશે. બીજી બાજુ જાપાની કર્જથી આઈઆઈએફસીએલને પીપીપી ઈંફ્રા પ્રોજેક્ટ માટે 50 અરબ યેનનુ કર્જ પણ મળી શકશે.