યોજના આયોગના ખાત્માનુ એલાન કર્યા પછી હવે કેન્દ્ર સરકાર આરટીઓમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યુ છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સંકેત આપ્યા છે કે સરકાર આરટીઓના સ્થાન પર નવી વ્યવસ્થા લાવવાની તૈયારીમાં છે. પરિવહન મંત્રાલય મોટર વિહિકલ એક્ટમાં ફેરફાર પર કામ કરી રહ્યુ છે. મંત્રાલયના મુજબ મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર પછી આરટીઓનુ કામકાજ આપમેળે જ બદલાય જશે. સૂત્રોના મુજબ સરકારનુ જોર તકનીકનો વધુમાં વધુ સારો ઉપયોગ કરવા પર છે. સાથે જ લાઈસેંસ બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે.