દેશની અર્થવ્યવસ્થામાં એનઆરઆઈનું સ્વાગત છે: મનમોહન

ભાષા

શનિવાર, 26 સપ્ટેમ્બર 2009 (14:02 IST)
પ્રધાનમંત્રી મનમોહનસિંહે આજે કહ્યું કે, અમેરિકા અને વિશ્વના અન્ય દેશોમાં વસવાટ કરતાં એનઆરઆઈનું પોતાના દેશની અર્થવ્યવસ્થામાં રોકાણ કરવા માટે સ્વાગત છે.

અહીંયા એક પત્રકાર પરિષદમાં સિંહે કહ્યું કે, બેંક રોકાણ, શેર બજારમાં રોકાણ, પ્રત્યક્ષ તેમજ પોર્ટફોલિયો રોકાણ દ્વારા ભારતના વિકાસમાં યોગદાન કરવા ઈચ્છતાં એનઆરઆઈનું અમે સ્વાગત કરીએ છીએ. તેમણે કહ્યું કે, અમે ભારતના આર્થિક વિકાસની પ્રક્રિયામાં ભાગીદારીનું સ્વાગત કરીએ છીએ.

વેબદુનિયા પર વાંચો