એક ખાનગી અહેવાલ મુજબ દેશમાં અર્બન મિડલ ક્લાસમાં બ્રાન્ડેડ બાસમતી ચોખાનું ચલણ વધી રહ્યું છે. જેના પગલે પાંચ વર્ષમાં બ્રાન્ડેડ બાસમતી ચોખાનું વેચાણ વધીને બમણું થયું છે. વર્ષ ૨૦૦૯-૧૦ દરમિયાન દેશમાં બ્રાન્ડેડ બાસમતી ચોખાનું વેચાણ ૯ લાખટન હતું. જે વર્ષ ૨૦૧૩-૧૪માં વધીને ૧૬ લાખટન નોંધાયું હતું. જો આ સ્થિતિ યથાવત્ રહી તો વર્ષ ૨૦૧૬-૧૭ના અંતે બ્રાન્ડેડ બાસમતી ચોખાનું વેચાણ વધીને ૨૯ લાખ ટને પહોંચવાની શક્યતા છે.
નિકાસમાં પીછેહઠ બાદ ઘરઆંગણે બાસમતી ચોખાનું વધતું ચલણ નિકાસકારોને રાહત આપશે. વર્ષ ૨૦૧૪-૧૫માં સરેરાશ ૧,૨૦૦ ડોલર પ્રતિટનના બાવે ૩૭ લાખટન બાસમતી ચોખાની નિકાસ થઇ છે. જેનું કુલ નિકાસ મૂલ્ય ૪.૫૨ અબજ ડોલર થાય છે. વર્ષ ૨૦૧૫-૧૬ના પ્રથમ પાંચ મહિનામાં પ્રતિ ટન ૯૨૦ ડોલરના ભાવે બાસમતી ચોખાની નિકાસ ર્વાિષક તુલનાએ ૨૫ ટકા ઘટીને ૧.૬ અબજ ડોલર નોંધાઇ છે.