આ વખતે વેકેશનમાં જ ચૂંટણીઓ હોવાથી લોકોએ પ્રવાસમાં જવાનું જ જાણે રદ કરી દીધું હતું. ટુર ટ્રાવેલ્સ ઓપરેટર્સના મતે, લોકોએ આ વખતે રજા ગાળવા કરતાં જાણે ચૂંટણીઓને વધુ મહત્વ આપ્યું હતું. લોકોને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે અને ભાજપને કેટલી બેઠકો મળશે તે જાણવામાં ઘણી જ ઉત્સુકતા હતી. ગત વર્ષની સરખામણી આ વખતે ૩૦ ટકા ઓછો બિઝનેસ થયો છે.હવે જયારે એરટિકિટો મોંઘી થઇ છે ત્યારે ઘણા પરિવારોએ ગુજરાતમાં જ સાપુતારા,દ્વારકા, નળસરોવરના પ્રવાસે જઇને રજાનો આનંદ માણી લીધો છે.