ભારતમાં શહેરની વસ્તી 2050 સુધી 40 કરોડ વધીને 81 કરોડથી વધુ થઈ જશે. તેનાથી વધુ શહેરીકરણ અત્યાર સુધી ફક્ત ચીનમાં થયુ હતુ. દેશના અનેક શહેરોમાં જે ઝડપથી વસ્તી વધી રહી છે તેનાથી લાગે છે કે શહેરોમાં આવનારા દિવસોમાં દબાણ વધશે અને એ માટે સ્માર્ટ શહેરોની જરૂર પડશે.