મુંબઈ. ટાટા સમૂહના અધ્યક્ષ રતન ટાટાને પ્રતિષ્ઠીત એન્જીન્યરીંગ સંસ્થાન આઈઆઈટી ખડગપુર દ્વારા ડોક્ટર ઓફ સાયન્સના માનદ ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ભારતને વિશ્વ વિખ્યાત બનાવવામાં તેમના ઉલ્લેખનીય નેતૃત્વ અને ટાટા સમૂહને એક વિશાળ આકાર પ્રદાન કરવાના યોગદાન માટે ટાટાને આ ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઈઆઈટી ખડગપુરના નિર્દેશક પ્રોફેસર દામોદર આચાર્યએ કહ્યુ હતુ કે, રતન ટાટા ભારતીય એન્જીન્યરીંગ ઉધોગના સૂર્ય છે. ટાટા સૂમહની કંપનીઓમાં વિભિન્ન પદો પર હોવા સાથે તેઓ ઉત્કૃષ્ટતાના નવા માનદંડ રચી રહ્યા છે.