કૉંગ્રેસનો ગુજરાત સરકાર પર ઉત્તર પ્રદેશની જેમ 'બુલડોઝર રાજકારણ' કરવાનો આરોપ

રવિવાર, 24 એપ્રિલ 2022 (10:45 IST)
ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર શનિવારે ગુજરાતમાં કૉંગ્રેસનું પ્રતિનિધિમંડળ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યું હતું. આ મુલાકાતમાં તેમણે રાજ્યમાં કોમવાદના આધારે ધ્રુવીકરણ કરી રહેલાં તત્ત્વો અને 'અસંમતિના અવાજને દાબવા સરકારી મશીનરીના ઉપયોગ' સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.
 
તેમણે ગુજરાત સરકાર પર ઉત્તર પ્રદેશની જેમ 'બુલડોઝર રાજકારણ' કરવાનો આરોપ લગાવ્યો હતો.
 
કૉંગ્રેસના પ્રતિનિધિમંડળમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના રઘુ શર્મા, અન્ય વરિષ્ઠ નેતાઓ અને કૉંગ્રેસના ધારાસભ્યો વગેરે સામેલ હતા.
 
તેમણે પોતાની ફરિયાદ બાબતે રાજ્યપાલને આવેદન આપ્યું હતું.
 
કૉંગ્રેસના આવેદનપત્રમાં લખાયું હતું કે, "રાજ્યમાં કોમવાદને વેગ આપી ધ્રુવીકરણના પ્રયત્નો કરાઈ રહ્યા છે. તેમજ જે સરકાર પર કાયદો અને વ્યવસ્થાની જાળવણીની જવાબદારી છે તે જ ગેરબંધારણીય વર્તન કરી રહી છે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર