ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો, ગુજરાતે ક્યારેય ત્રીજા પક્ષને સ્વિકાર કર્યો નથી- અમિત શાહનો AAP પર હુમલો

રવિવાર, 6 નવેમ્બર 2022 (16:25 IST)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ દરેક પક્ષો વિપક્ષને ઉગ્રતાથી નિશાન બનાવી રહ્યા છે અને જનતાને તેમના પક્ષના ઉમેદવારોની તરફેણમાં મત આપવાનું કહી રહ્યા છે. આ દરમિયાન એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે.
 
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) ની હાજરીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે રાજ્યે ક્યારેય કોઈ ત્રીજા પક્ષને સ્થાન આપ્યું નથી. તેમણે કહ્યું કે, 'ગુજરાત ક્યારેય કોઈ ત્રીજા પક્ષનો અવધારણાનો સ્વીકાર્યો નથી. ગુજરાતનું રાજકારણ વિચારધારાઓ પર આધારિત છે અને એક એવો પક્ષ છે જેની કોઈ વિચારધારા નથી. ગુજરાતમાં આવી પાર્ટીના મૂળિયાં પડે તેવી કોઈ શક્યતા નથી.
 
અમિત શાહે કહ્યું, "એવું કહી શકાય કે આ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે." તમને જણાવી દઈએ કે શાહે આ વાતો એક ગુજરાતી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કહી હતી.
 
કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી અને શંકરસિંહ વાઘેલા અને નાથુભાઈ માવાણી દ્વારા રચાયેલી સ્થાનિક પાર્ટીઓનું ઉદાહરણ આપતા અમિત શાહે કહ્યું હતું કે, જનતા દળના ચીમનભાઈ પટેલ સિવાય ત્રીજા પક્ષના અન્ય કોઈ નેતા ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા નથી.
 
ભાજપે ચૂંટણી દરમિયાન લાગણીઓને ઉશ્કેરવા માટે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) ના અમલીકરણ માટે એક સમિતિની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો હોવાના આક્ષેપોના જવાબમાં, અમિત શાહે કહ્યું, "જ્યાં સુધી યુસીસીનો સંબંધ છે, તે જનસંઘના સમયથી એક વચન છે. અમે રામજન્મભૂમિનો શિલાન્યાસ કર્યો, તે કઈ ચૂંટણી હતી? અમે કલમ 370 નાબૂદ કરી, તે કઈ ચૂંટણી હતી? અમને ટ્રિપલ તલાકનો અંત આવ્યો, કઈ ચૂંટણી હતી? આ જનસંઘના સમયથી અમારા માટે એક મુદ્દો છે જેને અમારે પુરો કરવો જોઇએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર