જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા માની રહ્યા છે કે દેશમાં મોદી લહેર છે. અત્યાર સુધી ઉમર 'મોદી લહેર'ને નકારતા રહ્યા હતા. પરંતુ હવે પોતાની અગાઉની વાત પરથી પલટતાં તેમણે કહ્યું કે, દેશમાં મોદીની લહેર છે, અને જે લોકો મોદી લહેર ન સમજે તેઓ મૂરખ છે.
એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને કેન્દ્રની યૂપીએ સરકારમાં સામેલ નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, જે લોકો માને છે કે મોદીનો પ્રભાવ નથી, તે નાસમજ લોકોની દુનિયામાં રહે છે. તેમણે કહ્યું કે, મોદીના પ્રભાવને સ્પષ્ટ જોઈ શકાય છે અને આ લહેર જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પણ દેખાય છે.