વેબદુનિયાના સંપાદક જયદીપ કર્ણિક સાથે વાતચીત કરતા ચૌધરીએ કહ્યુ કે આ લોકો ગુજરાત વિકાસની વાત કરી રહ્યા છે. પણ હકીકત એ છે કે દેશને તેઓ ભ્રમિત કરી રહ્યા છે. મોદી પર નિશાન સાધતા ચોધરી કહે છે કે ગુજરાતના મુખ્યમંત્રી જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે. શુ કોઈ પીએમ પદનો ઉમેદવાર આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરી શકે છે ?
સપા સરકારના સમયમાં સૌથી વધુ રમખાણો થવાની વાત પર થોડા ક્રોધિત થાય છે. પણ પછી કહે છે કે સપા સરકારના સમયમાં રમખાણો નથી થયા. સૌથી વધુ રમખાણો તો કોંગ્રેસના શાસનમાં થયા છે. ત્યારબાદ ભાજપાનુ નામ આવે છે. કોંગ્રેસ અને ભાજપાને મળીને જ બાબરી મસ્જિદનો વિધ્વંસ કર્યો હતો. સપા ધર્મનિરપેક્ષ પાર્ટી અને મુલાયમથી મોટો ધર્મનિરપેક્ષ નેતા આખા દેશમાં નથી.