કોંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદી સામે દિગ્વિજયસિંહને ઉતારવા પર વિચારણા કરી રહી છે. અને આ અંગેનો અંતિમ નિર્ણય શુક્રવારે લેવાશે તેવી સંભાવના છે. વારાણસીમાં મોદીને હરાવવા માટે રાજકીય પક્ષો આકાશ પાતાળ એક કરી રહ્યા છે. તેવામાં કોંગ્રેસે એવો તો અંદેશ આપ્યો જ હતો કે વારાણસીમાં કોંગ્રેસ મોદી સામે મજબૂત ઉમેદવાર ઉતારશે. જ્યારે દિગ્વિજયે પણ ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે.
આ પહેલા જ કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યુ કે વારાણસી માટે અનેક નામો પર ચર્ચા થઇ રહી છે. કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતારશે. અને મોદીને હરાવવા માટે કેજરીવાલને સમર્થન આપવાના સવાલ પર શર્માએ કહ્યુ કે આ સવાલ જ નથી ઉદભવતો. કોંગ્રેસ પોતાના દમ પર ચૂંટણી લડશે.