છાપા મુજબ AAPના સંયોજકે આ વાત સોમવારે અમેઠીમાં કહી. એવુ કહેવાય રહ્યુ છે કે રાનીગંજના શુક્લા બજાર વિસ્તારમાં લોકોને સંબોધિત કરતા કેજરીવાલે કહ્યુ, 'ચૂંટણી આવી ગઈ છે. તેઓ તમને પૈસાની લાલચ આપે તો તેને લઈ લેજો. આ તમારી મહેનતથી કમાવેલ પૈસો જ છે જે 2જી અને CWG કૌભાંડમાં લૂંટવામાં આવ્યો હતો. સાડી લઈ લો , ધાબળો લઈ લો પણ તેમને વોટ ના આપશો. વોટ ઝાડૂને આપો.
કેજરીવાલ છેલ્લા બે દિવસથી અમેઠીમાં AAPના ઉમેદવાર કુમાર વિશ્વાસનો પ્રચાર કરી રહ્યા છે. છાપામાં છપાયેલા સમાચાર મુજબ તેમણે કહ્યુ. 'એવુ કેમ છે કે મારી પર બીજેપી હુમલો કરાવે છે અને કુમાર વિશ્વાસ પર કોંગ્રેસ ? શુ તમે ક્યારેય કોંગ્રેસને મોદી પર કે પછી બીજેપીને ગાંધી પરિવાર પર હુમલો કરવાતા સાંભળ્યા છે ? આ બધા મળેલા છે.